Connect Gujarat
Featured

અંકલેશ્વર : નગરપાલિકા શહેરીજનોને વેરામાંથી માફી આવે તેવી કોંગ્રેસની માંગ

અંકલેશ્વર : નગરપાલિકા શહેરીજનોને વેરામાંથી માફી આવે તેવી કોંગ્રેસની માંગ
X

અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેનસરી કમિટીના માજી ચેરમેન અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન સિકંદર ફડવાલાએ શહેરીજનોને વેરામાંથી માફી આપવામાં આવે તેવી માંગ સાથે મુખ્ય અધિકારીને રજુઆત કરી છે.

સિકંદર ફડવાલાએ તેમની રજુઆતમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીને લઈ સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.જેના કારણે ધંધા અને રોજગાર બંધ થઇ જતાં મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગને આર્થિક કટોકટી જેવી પરિસ્થિતિ નો સામનો કરવાનો વારો આવ્યો છે. આવી વિપરીત સ્થિતિમાં નગરપાલિકા દ્વારા વેરાની માફી આપવામાં આવે તો ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાહત થઇ શકે તેમ છે. અંકલેશ્વર નગર પાલિકા ઘરવેરા સહિતના તમામ વેરાઓ માફ કરે તેવી માંગણી તેમણે મુખ્ય અધિકારી સમક્ષ કરી છે.

Next Story