અંકલેશ્વર દઢાલ પાસેની સાગબારા ફાટક નજીક થ્રિ વહીલ ટેમ્પો પલ્ટી મારતાં ચાલક નું મોત
BY Connect Gujarat30 Aug 2018 1:38 PM GMT
X
Connect Gujarat30 Aug 2018 1:38 PM GMT
અંકલેશ્વર દઢાલ નજીક આવેલ સાગબારા ફાટક પાસે થ્રિ વહીલ ટેમ્પો અચાનક પલ્ટી મારતા ચાલક દબાય જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં અતિક બેકરી ખાતે રહેતા એસામુદ્દીન સીદીકિ બેકરીનો થ્રિ વહીલ ટેમ્પો લય અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા તે દરમ્યાન દાઢળની સાગબારા ફાટક પાસે કુતરા ને બચાવવા જતા તેઓએ સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા ટેમ્પો પલ્ટી મારી જતા તેઓ ટેમ્પા નીચે દબાય જતા ગંભીર ઇજા ના કારણે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ અકસ્માત ની જાણ તાલુકા પોલીસ ને થતા પોલીસ દોડી આવી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Next Story