Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : સાબરકાંઠા-અરવલ્લી મિત્ર મંડળનો દશાબ્દી મહોત્સવ ઉજવાશે, રક્તદાન-નેત્ર નિદાન કેમ્પના આયોજન અંગે યોજાઇ જન જાગૃતિ રેલી

અંકલેશ્વર : સાબરકાંઠા-અરવલ્લી મિત્ર મંડળનો દશાબ્દી મહોત્સવ ઉજવાશે, રક્તદાન-નેત્ર નિદાન કેમ્પના આયોજન અંગે યોજાઇ જન જાગૃતિ રેલી
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની જીઆઇડીસી વિસ્તારમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના

લોકોનું મિત્ર મંડળ દશાબ્દી મહોત્સવ ઉજવી રહ્યુ છે. આ પ્રસંગે રક્તદાન શિબિર તેમજ નેત્ર

નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા જન જાગૃતિ રેલી

યોજાઇ હતી.

શ્રી સાબરકાંઠા-અરવલ્લી મિત્ર મંડળના દશાબ્દી મહોત્સવના ભાગરૂપે રક્તદાન તેમજ નેત્ર નિદાન કેમ્પનું આયોજન તા. 2જી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે, ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી BAPS સ્વામિનારાયણ મંદિર નજીકથી રક્તદાન જાગૃતતા રેલીનો પ્રારંભ કરાયો હતો. લોકોમાં રક્તદાન પરત્વે જાગૃતિ આવે તેવા સંદેશના પ્રચાર અને પ્રસાર સાથે રક્તદાન જાગૃતતા રેલી નોટીફાઈડ વિસ્તારના વિવિધ માર્ગે નીકળી હતી.

સમગ્ર રેલી દરમ્યાન સાબરકાંઠા-અરવલ્લી મિત્ર મંડળના સ્થાપક પ્રમુખ આર.એમ.પટેલ, પ્રમુખ ઉમેશ પટેલ, ઉપપ્રમુખ મહેશ એમ પટેલ, નરેન્દ્ર પટેલ, મંત્રી પ્રકાશ જોશી, સહમંત્રી જીતેશ પટેલ, પંકજ પટેલ, ગોપાલ શાહ, રાજુ પટેલ સહિત હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક સાબરકાંઠા-અરવલ્લી મિત્ર મંડળના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story