Connect Gujarat
Featured

અંકલેશ્વર : જયાબહેન મોદી હોસ્પિટલને અપાયું રૂ.14 લાખની કિમતના અધ્યતન વેન્ટિલેટરનું દાન,જુઓ કોણે કર્યું સેવાકાર્ય

અંકલેશ્વર : જયાબહેન મોદી હોસ્પિટલને અપાયું રૂ.14 લાખની કિમતના અધ્યતન વેન્ટિલેટરનું દાન,જુઓ કોણે કર્યું સેવાકાર્ય
X

અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલને અધ્યતન વેન્ટિલેટરનું દાન આપવામાં આવતા આઈ.સી.યુ.માં સારવાર લઈ રહેલ દર્દીઓને સચોટ સારવાર મળી રહેશે.

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને રોટરી ક્લબ ભરૂચ, રાજીન્દર કૌર બુનેટ અને કુંદન ઉદાણી ફાઉન્ડેશન તરફથી એક રૂપિયા 14 લાખની કિમતના અદ્યતન વેન્ટિલેટર (ડ્રૅગર સેવીના ૩૦૦) નું દાન આપવામાં આવ્યું હતું . જેના થકી આઈ.સી.યુ માં દાખલ દર્દીઓને સચોટ સારવાર મળી રહેશે. આ અગાઉ પણ કુંદન ઉદાણી ફાઉન્ડેશન દ્વારા હોસ્પિટલને દર્દીઓને ઇમર્જન્સીમાં સારવાર મળી રહે તે માટે અદ્યતન આઈ.સી.યુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું દાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચ ના સભ્યો તથા હોસ્પિટલના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં હવે સંપૂર્ણપણે નોન કોવિડ હોસ્પિટલ છે અને તમામ દર્દીઓ માટેની રેગ્યુલર ઓ.પો.ડી., એડમિશન અને ઇમર્જન્સીની સેવાઓ શરુ કરવામાં આવી છે

Next Story