Connect Gujarat
Featured

અંકલેશ્વર: IAS અંજુ શર્મા બન્યા અંકલેશ્વરની સંસ્કારદીપ શાળાના મહેમાન

અંકલેશ્વર: IAS અંજુ શર્મા બન્યા અંકલેશ્વરની સંસ્કારદીપ શાળાના મહેમાન
X

અંકલેશ્વરની સંસ્કારદીપ શાળા ખાતે આઈ.એ.એસ. અંજુ શર્માએ મુલાકાત લીધી હતી અને શાળા દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી.

રાજ્યના હાયર એન્ડ ટેકનીકલ એજયુકેશનના પ્રિન્સીપાલ સેક્રેટરી અંજુ શર્મા અંકલેશ્વરની સંસ્કારદીપ શાળા ખાતે મુલાકાતે આવ્યા હતા. અંજુ શર્મા ભરૂચના કલેકટર પણ રહી ચુક્યા છે ત્યારે તેઓએ સંસ્કારદીપ શાળા ખાતે જઈ વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ એન.કે.નાવડીયા, હિતેન આનંદપૂરા , મનોજ આનંદપુરા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અંજુ શર્માએ સંસ્કારદીપ શાળા દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી તેઓએ શાળા સંચાલકોને શુભેરછા આપી હતી અને તેમના સંદેશમાં લખ્યું હતું કે તમે ઘણું જ ઉત્કૃષ્ટ કરી કરી રહ્યા છો. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્કારદીપ શાળા દ્વારા જનની ચિંતન સભા અને વ્યાખ્યાન સહિતની પ્રવૃત્તિ કરવામાં આવે છે જેને તેઓએ આવકારી હતી.

Next Story