Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ જે.એન. પીટીટ લાઈબ્રેરી દ્વારા યોજાશે રંગોળી હરિફાઈ

અંકલેશ્વરઃ જે.એન. પીટીટ લાઈબ્રેરી દ્વારા યોજાશે રંગોળી હરિફાઈ
X

15 વર્ષથી વધુ ઉંમરનાં કોઈપણ વ્યક્તિ આ હરિફાઈમાં ભાગ લઈ શકશે

અંકલેશ્વરનાં ચૌટા બજાર પોલીસ મથકની સામે આવેલી જે.એન.પીટીટ લાઈબ્રેરી દ્વારા આગામી 28 ઓબ્ટોબર, રવિવારનાં રોજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા બપોરે 2થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.આગામી રવિવારે યોજાનારી આ સ્પર્ધામાં 15 વર્ષથી મોટી ઉંમરનાં કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. સ્પર્ધાનાં પ્રથમ ત્રણ વિજેતાઓને બમ્પર ઈનામ આપવામાં આવશે. તથા તમામ સ્પર્ધકોને આશ્વાસન ઈનામ પણ આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે નામ નોંધાવવા મોબાઈલ નંબર 94273 27617 અને 63521 49070 ઉપર સંપર્ક કરી શકાશે. સોમવારે લાઈબ્રેરી બંધ રહેતી હોવાથી નોંધણી થઈ શકશે નહીં. બાકીનાં દિવસોમાં સંપર્ક સાથી સ્પર્ધકો પોતાનું નામ નોંધાવી શકશે.

Next Story