Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: મર્ડરના ગુનામાં 27 વર્ષથી ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો

અંકલેશ્વર: મર્ડરના ગુનામાં 27 વર્ષથી ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો
X

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપી અને છેલ્લા 27 વર્ષથી પોલીસથી નાસતા ભરતા આરોપીને ભરૂચ એલસીબી પોલીસે કસ્બાતીવાડમાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ અધિકક્ષકની સૂચનાના પગલે પોલીસની ટીમો કામ કરી રહી છે. ભરૂચ એલસીબી પોલીસે પણ પેટ્રોલિંગ વધારી દીધું છે. દરમિયાન એલસીબીને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં 1992માં મર્ડરના ગુનામાં સંડોવાયેલો આરોપી અંકલેશ્વરના કસ્બાતીવાડ, શબનમ કોમ્પલેકસની બાજુની ગલી, રહેમાન મંઝીલમાં રહે છે.

પોલીસે બાતમીના આધારે સ્થળ પર જઈ આરોપી ઐયાઝઅહેમદ બદરૂદ્દીન પઠાણને ઝડપી પાડયો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં 1992માં થયેલા મર્ડરના કેસમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું.

Next Story