અંકલેશ્વર : વાલીયા રોડ પર ટ્રકે એકટીવાને મારી ટકકર, જુઓ એકટીવા ચાલકનું શું થયું
BY Connect Gujarat27 Jan 2020 7:32 AM GMT
X
Connect Gujarat27 Jan 2020 7:32 AM GMT
અંકલેશ્વરના
વાલીયા રોડ પરથી પસાર થઇ રહેલા એકટીવાને ટ્રકે ટકકર મારતાં એકટીવાના ચાલકને ઇજા
પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો છે.
અંકલેશ્વર
અને વાલીયાને જોડતો રોડ અકસ્માત ઝોન બની રહયો છે. એક સપ્તાહમાં બે મોપેડ સવાર
અકસ્માતનો ભોગ બની ચુકયાં છે. થોડા સમય પહેલાં કોસમડી નજીક ટ્રકે રીવર્સ લેતી વેળા
એકટીવા સવાર મહિલાને અડફેટમાં લીધી હતી. સોમવારના રોજ સવારના સમયે વાલીયા રોડ પરથી
પસાર થઇ રહેલાં એકટીવાને ટ્રકે ટકકર મારી હતી. ટ્રકના આગળના ભાગમાં એકટીવા ફસાઇ
ગયું હતું. સદનસીબે એકટીવા ચાલકનો ઇજા સાથે બચાવ થયો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે
હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવને પગલે અંકલેશ્વર- વાલીયા રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો
હતો.
Next Story