અંકલેશ્વરઃ સ્વછતા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ-શિક્ષકોએ રેલી યોજી
BY Connect Gujarat8 Sep 2018 7:46 AM GMT
X
Connect Gujarat8 Sep 2018 7:46 AM GMT
પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્લેકાર્ડ, બેનર સાથે ફરીને જાગૃતિ લાવવાનો કર્યો પ્રયાસ
અંકલેશ્વરની પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમ દ્વારા આજરોજ સ્વછતા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો શહેરના વિવિધ વિસ્તારોમાં પ્લેકાર્ડ, બેનર સાથે ફર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સૂત્રચાર કરી સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાશ કર્યો હતો.
[gallery td_select_gallery_slide="slide" size="large" ids="64313,64314,64315"]
આ રેલીમાં સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નિમીષા પટેલ, શિક્ષકો ઐશ્વરીયા પિલ્લઇ, દિવ્યેશ સોલંકી, સના શેખ, દુર્ગા રાવલ તેમજ અન્ય શિક્ષકો જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં આ રેલીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.
Next Story