Connect Gujarat
સમાચાર

અંકલેશ્વર: પેટ્રોલ પંપ પરથી કરાઇ રૂપિયા બે લાખ ૩૭ હજારની લૂંટ, લૂંટારા ફરાર

અંકલેશ્વર: પેટ્રોલ પંપ પરથી કરાઇ રૂપિયા બે લાખ ૩૭ હજારની લૂંટ, લૂંટારા ફરાર
X

પોલીસે પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી

અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર ૪૮ પર લક્ષ્મી પેટ્રોલ પંપ પર બે અજાણ્યા શખ્સોએ પેટ્રોલપંપના કર્મીને રિવોલવર જેવુ હથિયાર બતાવી બે લાખ ૩૭ હજારની લૂંટ ચલાવી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે શહેર પોલીસને જાણ થતા પોલીસે સ્થળ પર ધસી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર ૪૮ પર લક્ષ્મી પેટ્રોલ પંપ આવેલ છે. જયાં ટુ વ્હીલર વાહન ચાલકો પમ્પ પર પેટ્રોલ પુરાવી રહ્યા હતાં. દરમિયાન બે જેટલા અજાણ્યા શખ્સોએ પેટ્રોલ પમ્પ પર પાણી પીવાના બહાને ધસી આવ્યા હતાં અને પેટ્રોલ પંપ ઓફીસમાં જઈ કર્મીને રિવોલ્વર જેવું હથિયાર બતાવી ઓફીસની અંદર સુતેલા બે કર્મીઓને મારમારી ડ્રોવરમાં મુકેલ રોકડ રકમ રૂપિયા ર લાખ ૩૭ હજાર રોકડાની લૂંટ ચલાવી કર્મીઓને બાજુની ઓફીસમાં પુરી દઈ ફરાર થઈ ગયા હતાં.

આ ઘટના અંગે પેટ્રોલપંપના કર્મીઓએ માલિક રામસિંહ યાદવને જાણ કરતા તેણે ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસને કરી હતી. ઘટનાના પગલે શહેર પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવા માટે શહેરની બહાર જતા તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી દીધી હતી. તેમજ પેટ્રોલપંપ પર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story