અંકલેશ્વરઃ રામકૂંડમાંથી તરતી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો
BY Connect Gujarat19 Oct 2018 7:52 AM GMT
X
Connect Gujarat19 Oct 2018 7:52 AM GMT
શહેર પોલીસને જાણ થતાં સ્થળ ઉપર પહોંચી મહિલાની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વરનાં શહેર વિસ્તારમાં આવેલા રામકુંડ મંદિર ખાતે આવેલા જળ કુંડમાંથી એક અજાણી મહિલાની લાશ તરતી હાલતમાં મળી આવી છે. જે બાબતની સ્થાનિકો દ્વારા શહેર પોલીસને જાણ કરાતા શહેર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ મહિલા કોણ છે તેની ઓળખ મેળવવા પોલીસે જતવીજ હાથ ધરી છે. પરિવારની ભાળ મળ્યા પછી જ મહિલાનાં મોત અંગે જાણી શકાશે.
Next Story