અંકલેશ્વર : શાળાઓ, સંસ્થાઓ તથા કચેરીઓમાં ઉજવાયું પ્રજાસત્તાક પર્વ
BY Connect Gujarat26 Jan 2020 12:42 PM GMT
X
Connect Gujarat26 Jan 2020 12:42 PM GMT
અંકલેશ્વરમાં પ્રજાસત્તાક પર્વની
ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયાં હતાંં. ધ્વજવંદનની સાથે સાંસ્કૃતિક
કૃતિઓ પણ રજુ કરાઇ હતી.
અંકલેશ્વરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભકિત સભર માહોલમાં કરવામાં
આવી હતી. શહેર તથા તાલુકામાં આવેલી શાળાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો આયોજીત કરાયાં
હતાં. રાષ્ટ્રગીતની સુરાવલી સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી. શાળાઓ ઉપરાંત
વિવિધ સંસ્થાઓ તેમજ સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનોમાં પણ ધ્વજવંદન કરાયું હતું.
Next Story