Connect Gujarat
Featured

અંકલેશ્વર : ગડખોલ પાટીયાની ઝુંપડપટ્ટીમાં માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ

અંકલેશ્વર : ગડખોલ પાટીયાની ઝુંપડપટ્ટીમાં માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ
X

જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ગડખોલ પાટિયા પાસે આવેલ ઝૂપડપટ્ટીના રહીશોને માસ્ક અને સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોના વાયરસને અનુલક્ષી દેશભરમાં સલામતીના પગલાં ભરવામાં આવી રહયાં છે. રાજય અને કેન્દ્ર સરકારે તમામ મશીનરી અને તંત્ર કોરોના વાયરસને ફેલાતો રોકવા કામે લગાડી દીધું છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ પણ મદદમાં આવી છે. અંકલેશ્વરના જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ગડખોલ પાટિયા પાસે આવેલ ઝૂપડપટ્ટીમાં રહેતા રહીશોને સેનીટાઇઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોને કોરોના વાયરસથી કેવી રીતે બચી શકાય તેની જાણકારી આપવામાં આવી હતી. લોકો હાથ બરાબર રીતે ધોઇ શકે તે માટે એક હજાર કરતાં વધારે સાબુનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ અનુરાગ પાંડે,બાબુ રાજન,સંતોષ પ્રધાન તેમજ જયેન્દ્રભાઈ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતાં.

Next Story