Home > Featured > અંકલેશ્વર : બે યુવાનોએ મહિલાને કહયું, તમારા દાગીના થેલીમાં મુકી દો, જુઓ પછી શું થયું
અંકલેશ્વર : બે યુવાનોએ મહિલાને કહયું, તમારા દાગીના થેલીમાં મુકી દો, જુઓ પછી શું થયું
BY Connect Gujarat22 Oct 2020 11:17 AM GMT
X
Connect Gujarat22 Oct 2020 11:17 AM GMT
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં મહિલાના દાગીનાની ઉઠાંતરી કરી બે ગઠિયા ફરાર થઇ ગયાં હતાં. મંદિરથી દર્શન કરી પરત ફરી રહેલી મહિલાને ચોરીનું પ્રમાણ વધી ગયું છે તમે દાગીના આ થેલીમાં મુકી દો તેમ કહી ગઠિયા મહિલાને છેતરી ગયાં હતાં…
અંકલેશ્વર જીઆઇડીસી ખાતે 500 ક્વાર્ટર વિસ્તારમાં રહેતી વર્ષાબેન ગાંધી સવારના સમયે જૈન મંદિરના દર્શન માટે આવ્યા હતાં. મંદિરમાં દર્શન કરી પરત ઘરે જતી વેળાએ જન ઔષધિ મેડિકલ સ્ટોર પાસે બહાર ઓટલા પર ઉભેલા હતા તે દરમિયાન બે જેટલા અજાણ્યા ઈસમોએ તેમને નજીક બોલાવી કહેલું કે સોના ચાંદીના દાગીના ઉતારી થેલીમાં મૂકી દો. બંને યુવાનોની વાતમાં આવી વર્ષાબેને દાગીના ઉતારી થેલીમાં મુકી દીધાં હતાં. વર્ષાબેનની નજર ચૂકવી થેલીની અદલાબદલી કરી સોના-ચાંદીના દાગીના લઇને નાસી છૂટયા હતા. બનાવ અંગે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Next Story