Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ સાક્ષી કેમિકલ કંપનીનાં ટેન્કર ડ્રાઇવરનું રહસ્યમય સંજોગોમાં મોત

અંકલેશ્વરઃ સાક્ષી કેમિકલ કંપનીનાં ટેન્કર ડ્રાઇવરનું રહસ્યમય સંજોગોમાં મોત
X

અંકલેશ્વરથી ટેન્કર લઈને વિલાયત સ્થિત ગ્રાસિમ કંપનીમાં કેમિકલ લઈને ગયો હતો ડ્રાયવર

વાગરા વિલાયત જીઆઇડીસીની ગ્રાસીમ કેમિકલ કંપનીમાં અંકલેશ્વરની સાક્ષી કેમિકલ ટ્રેડિંગ કંપનીનાં ટેન્કર ડ્રાઇવરનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી છે.

અંકલેશ્વર જીઆઇડીસીની સાક્ષી કંપની અને સાક્ષી ટ્રાન્સપોર્ટમાં ટેન્કર ચાલકનું રહસ્યમય મોત થતા કામદાર આગેવાનોએ મૃતક ના પરિવારજનોને વળતર આપવા અંગે માંગ કરી હતી અને પરિવાર જનોને વળતર ચૂકવ્યા બાદ જ મૃતદેહ સ્વીકારવાની વાત કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સાક્ષી કેમિકલ ટ્રેડિંગ અને સાક્ષી ટ્રાન્સપોર્ટમાં ટેન્કર ચાલક તરીકે નીતિન બાજપાય ફરજ બજાવે છે. 30 વર્ષીય નીતિન બાજપાયનું અચાનક રહસ્યમય મોત થતા સાક્ષી કંપની અને ટ્રાન્સપોર્ટના સંચલાક દિનેશભાઈ તેના મૃતદેહ ને ભરૂચ સિવિલ ખાતે પોસમોર્ટમ કરાવી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે મૂકી રફુચક્કર થઇ ગયો હતો. આ અંગેની જાણ મૃતકના પરિવારજનોને થતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

આ ઘટનાની જાણ કામદાર આગેવાનને થતા તેઓ તેમની ટીમ સાથે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવી પરિવારજનોને મળી ટ્રાન્સપોર્ટના સંચલાકો પાસે મૃતક નીતિન બાજપાયના પરિવારજનોને વળતર ચૂકવાય તે અંગે તેમણે પ્રાંત અધિકારી તેમજ ભરૂચ કલેકટરને પણ રજુઆત કરી હતી. તેમ છતાં સંચાલક દિનેશ નામનો ઈસમ હોસ્પિટલ પર ન ફરકતા અને વળતર ચૂકવવા અંગે કોઈ જવાબ નહીં આપતા. પરિવારજનો માં અને કામદાર અગેવાનોમાં આક્રોશ ફેલાયો હતો. મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી વળતર ન ચૂકવાય ત્યાં સુધી હોસ્પિટલમાં થી તેનો મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી હતી.

Next Story