Connect Gujarat
Featured

અંકલેશ્વર : લોકડાઉનમાં ઘરે રહેવા આવેલાં કોલેજીયન યુવાને ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

અંકલેશ્વર : લોકડાઉનમાં ઘરે રહેવા આવેલાં કોલેજીયન યુવાને ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત
X

અંકલેશ્વરના રામનગર ખાતે આવેલ બાલા એપાર્ટમેન્ટમાં રહેતા ૨૦ વર્ષીય આશાસ્પદ કોલેજીયન યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

પોલીસ સુત્રીય માહીતી મુજબ મુજબ અંકલેશ્વરના રામનગર ખાતે આવેલ બાલા એપાર્ટમેન્ટના રૂમ નંબર 303માં રહેતાં અને 20 વર્ષની ઉમંર ધરાવતો ઉમેશ શીરશદ પુના ખાતે અભ્યાસ કરે છે. કોરોનાવાયરસના કારણે કોલેજ બંધ હોવાથી તે અંકલેશ્વર ખાતે પોતાના ઘરે રહેવા આવી ગયો હતો. તે છેલ્લા ચાર મહિનાથી અંકલેશ્વરમાં જ રહેતો હતો.

ગત રોજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ તેેણે અગમ્ય કારણસર પોતાના રૂમની અંદર પંખા પર ફંદો બનાવી ગળે ફાંસો ખાઇ લીધો હતો. તેના દાદા અને દાદી તેને જમવા માટે બોલાવવા માટે ગયાં હતાં ત્યારે રૂમનો દરવાજો નહિ ખોલતાં આખી ઘટના પ્રકાશમાં આવી હતી. બનાવ સંદર્ભમાં અંકલેશ્વર શહેર પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકે શા માટે આપઘાત કર્યો તેનું કારણ હજી બહાર આવી શકયું નથી…

Next Story