Connect Gujarat
દેશ

અરુણ જેટલીને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલી પાઠવી

અરુણ જેટલીને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલી પાઠવી
X

મુખ્મંત્રી વિજય રૂપાણીએ પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ અરૂણ જેટલીએ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું તેની યાદ તાજી કરી હતી.રાજ્યસભા સાંસદ તરીકે તેમણે વડોદરા જિલ્લાના ચાણોદ-કરનાળી યાત્રાધામના સર્વગ્રાહી વિકાસ માટે સાંસદ આદર્શ ગામ તરીકે તેના વિકાસમાં આપેલા યોગદાનની સરાહના પણ મુખ્યંત્રીએ કરી છે.

વિભાવરીબેન દવે અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ જેટલીના ગુજરાત સાથેના સબંધ અંગે યાદો તાજી કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી

Next Story