BCCI થી રાયડુ થયો નારાજ, અંતે સન્યાસ લેવાનો લીધો નિર્ણય
BY Connect Gujarat3 July 2019 10:11 AM GMT
X
Connect Gujarat3 July 2019 10:11 AM GMT
વર્લ્ડકપ ટીમમાં સમાવેશ ન કરાતા અંતે અંબાતી રાયડૂએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો
વર્લ્ડ કપ-2019 માટે મોકલાયેલી 15 સભ્યોની ટીમમાં અંબાતી રાયડુ ને સામેલ કરાયો ન હતો. રાયડુને વર્લ્ડકપ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ માટે રિઝર્વ ખેલાડી તરીકે રખાયો હતો. વર્લ્ડ કપમાં બે ભારતીય ખેલાડી શિખર ધવન અને વિજય શંકર ઘાયલ થવા છતા ટીમમાં સમાવેશ ન કરાયો.
શિખર ધવન વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે રિષભ પંતને પસંદ કર્યો. જ્યારે વિજય શંકર વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ મેનેજમેન્ટે મયંક અગ્રવાલનો ટિમ માં સમાવેશ કર્યો. વર્લ્ડ કપમાં રાયડુની જગ્યાએ ટીમમાં જ્યારે વિજય શંકરની પસંદગી કરાય હતી ત્યારે ઘણા લોક પ્રશ્ન ઉઠાવ્યા હતા. ત્યારે રાયુડુએ પોતાની નારાજગી પણ ટ્વિટ કરી જણાવી હતી. જેથી અંબાતી રાયડુએ આખરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી.
Next Story