Connect Gujarat
ગુજરાત

ભરૂચ : કોરોના વાઇરસના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ 3 દર્દીઓ સારવાર હેઠળ

ભરૂચ : કોરોના વાઇરસના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ 3 દર્દીઓ સારવાર હેઠળ
X

ભરૂચ જીલ્લો કોરોનામુક્ત બનવાનું નામ જ નથી લઈ રહ્યો, ત્યારે આજે કોરોના વાઇરસના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાતા કોવિડ-19 હોસ્પીટલમાં હાલ કુલ 3 કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામનો પ્રથમ કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયો હતો, ત્યાર બાદ ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને વાલિયા સહિત એક બાદ એક કોરોનાના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. મોટાભાગના દર્દીઓ અન્ય જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં આવ્યા હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો હતો. ઉપરાંત 2 દિવસ અગાઉ 5 દર્દીઓને સારવાર આપી રજા આપવામાં આવતા ભરૂચ જિલ્લો કોરોનામુક્ત થવાની આશા હતી, ત્યાં જ અમદાવાદથી અંકલેશ્વર આવેલા પારિવારના સભ્ય પૈકી એક સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો, ત્યારે આ દર્દીને અંકલેશ્વરની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામા આવ્યો છે.

જોકે અમદાવાદ ખાતે ફરજ બજાવી પરત આવેલ વાલિયા રૂપનગર એસ.આર.પી. કેમ્પના 2 જવાનોના કોરોના વાયરસના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 40 પર પહોંચ્યો છે, ત્યારે અંકલેશ્વરની કોવિડ-19 હોસ્પિટલમાં હાલ 3 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ભરૂચ જિલ્લામાં હાલ કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન નથી, પરંતુ અન્ય જિલ્લામાંથી આવતા લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. ભરૂચ જિલ્લાને કોરોના મુક્ત બનાવવા માટે લોકો તકેદારી રાખે અને અન્ય જિલ્લામાંથી આવતા લોકો અંગે પોલીસ સહિત આરોગ્ય વિભાગને જાણ કરે તે હાલના સમયે અત્યંત જરૂરી બન્યું છે.

Next Story