ભરૂચ : અંકલેશ્વરની રેઇન લાઇફસાયન્સ કંપનીના 5 વર્ષ પૂર્ણ, વિવિધ કાર્યક્રમો યોજાયા
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી રેઇન લાઇફસાયન્સ કંપનીને 5 વર્ષ પૂર્ણ થતાં રક્તદાન શિબિર, ભગવાન
સત્યનારાયણની કથા સહિત વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે રક્તદાન શિબિર દરમ્યાન 150થી વધુ રક્તદાતાએ રક્તદાન કર્યું હતું.
અંકલેશ્વર શહેરના જીઆઈડીસી એસ્ટેટમાં આવેલી ઉચ્ચ ગુણવત્તાની ફાર્માસ્યુટિકલ
જથ્થાબંધ દવાઓ બનાવતી રેઇન લાઇફસાયન્સ કંપનીએ પોતાના કાર્યકાળના 5 વર્ષ પૂર્ણ
કર્યા છે, ત્યારે કંપની દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન
કરવામાં આવ્યું હતું. રેઇન લાઇફસાયન્સ કંપનીમાં રક્તદાન શિબિર યોજાઇ હતી. જેમાં
150થી વધુ રક્તદાતાએ રક્તદાન કર્યું હતું. જ્યારે બપોર બાદ કંપનીમાં ભગવાન
સત્યનારાયણની કથા તેમજ વાર્ષિક ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે
રેઇન લાઇફસાયન્સ કંપનીના ડિરેક્ટર કલ્પેશ કોઠીયા, અમીષ
શાહ, વિપુલ કોઠીયા, દેવાંગ
શાહ સહિત પરિવારજનો, શુભેચ્છકો તેમજ મોટી સંખ્યામાં
કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.