ભરૂચ : એકતા નગર સોસાયટીના બ્લોક નં.૪૩ ના એક મકાનમાં લાગી આગ
BY Connect Gujarat1 Jan 2020 5:53 AM GMT
X
Connect Gujarat1 Jan 2020 5:53 AM GMT
ભરૂચ જૂની મામલતદાર કચેરી સામે આવેલ એકતાનગર સોસાયટીના બ્લોક નં ૪૩ના એક મકાનમાં અચાનક આગ ભભૂકતા અફરાતફરી મચી હતી.જોકે ફાયર ફાઇટરે આવી આગ પર કાબુ મેળવી લેતા અને આ ઘટનમાં કોઇ જાનહાની ન નોંધતા સૌએ રાહતનો દમ લીધો હતો.
ભરૂચની જૂની મામલતદાર કચેરી સામે આવેલ એકતા નગર સોસાયટીના બ્લોક નં.૪૩ના એક મકાનમાં અચાનક આગ ભભૂકતા ઘરમાં રહેતા પરિવારમાં ભાગ દોડ મચી જવા પામી હતી.ઘટનાના પગલે ધૂમાડાના ગોટા નીકળતા જ આસપાસના રહિશો પણ દોડી આવ્યા હતા.આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર લાસ્કરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટના ઘરમાં રહેલા રેફ્રિજરેટરમાં અચાનક શોટ સર્કીટ થવાના કારણે સર્જાઇ હોવાનું બહાર આવ્યું હતું. આગના પગલે રેફ્રિજરેટર બળીને રાખ થઈ ગયું હતું. સદનસીબે કોઇ જાનહાની ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.
Next Story