Connect Gujarat
Featured

ભરૂચ : આમોદમાં સગીરા સાથે મૌલવીએ દુષ્કર્મ કર્યું હોવાની પોલીસ ફરિયાદ

ભરૂચ : આમોદમાં સગીરા સાથે મૌલવીએ દુષ્કર્મ કર્યું હોવાની પોલીસ ફરિયાદ
X

પોલીસ સુત્રિય માહિતી અનુસાર આમોદના ચાર રસ્તા પાસે બચ્ચોકા ઘર નામની મદ્રેસા આવેલી છે. જ્યાં છોકરા અને છોકરીઓ હોસ્ટેલમાં રહીને શિક્ષણ મેળવે છે. આ મદ્રેસામાં 68 વર્ષીય અબ્દુલ બોરા મૌલવી તરીકે ફરજ બજાવે છે. તેમની સામે મદ્રેસાની સગીરાએ દુષ્કર્મના આરોપ લગાવ્યાં છે. સગીરાને તારી મમ્મીનો ફોન આવ્યો છે તેમ કહી દુકાનમાં બોલાવી અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ઉલ્લેખ ફરીયાદમાં કરવામાં આવ્યો છે. પોતાની સાથે બનેલી ઘટનાની જાણ સગીરાએ તેની માતાને કરી હતી. સગીરાની માતાએ મૌલવી વિરૂધ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે બચ્ચો કા ઘરના સંચાલકોની પ્રતિક્રિયા બહાર આવી નથી.

Next Story