Home > Featured > ભરૂચ : અંકલેશ્વર નજીક ટ્રકે મારી કારને ટક્કર, છાતીમાંથી સળિયો આરપાર નીકળતા વૃદ્ધનું ઘટના સ્થળે મોત
ભરૂચ : અંકલેશ્વર નજીક ટ્રકે મારી કારને ટક્કર, છાતીમાંથી સળિયો આરપાર નીકળતા વૃદ્ધનું ઘટના સ્થળે મોત
BY Connect Gujarat26 May 2020 7:39 AM GMT
X
Connect Gujarat26 May 2020 7:39 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અન્સાર માર્કેટ નજીક નેશનલ હાઇવે નં. 48 ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ત્યારે કારમાં સવાર 65 વર્ષીય વૃદ્ધની છાતીમાંથી સળિયો આરપાર નીકળતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, સુરતના 65 વર્ષીય વૃદ્ધ અમરત દેસાઇ સિદ્ધપુર ખાતે કોઈક સામાજિક કામ અર્થે ગયા હતા, ત્યારે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ અંસાર માર્કેટ નજીક તેઓની કારને ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતના કારણે કાર સર્વિસ રોડની સાઇડમાં રહેલા પાઇપવાળા ડિવાઇડર સાથે ભટકાઈ હતી. જેથી કારમાં સવાર વૃદ્ધની છાતીના ભાગમાં સળિયો ઘૂસી જતાં છાતીની આરપાર નિકળી ગયો હતો. જેથી અમરતભાઈને 108 એમ્બ્યુલન્સમાં છાતીમાં ઘૂસેલા સળિયા સાથે જ ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે સિવિલ હોસ્પિટલના હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.
Next Story