ભરૂચ : અંકલેશ્વર-પુનગામના યુવાને ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત
BY Connect Gujarat18 Jan 2020 10:28 AM GMT
X
Connect Gujarat18 Jan 2020 10:28 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના
પુનગામમાં કોઈ અગમ્ય કારણોસર યુવાને ઝેરી દવા ગટગટાવી પોતાનું જીવન ટૂંકાવ્યું
હતું.
મળતી માહિતી અનુસાર, ગત તા. 16મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વર તાલુકાના પુનગામના
બસ્તી ટેકરી ફળિયામાં રહેતા 29 વર્ષીય અશ્વિન વસાવાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા
ગટગટાવી લીધી હતી. ત્યાર બાદ પરિવારજનો તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની
ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં આજરોજ તેનું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત
નીપજ્યું હતું. હાલ સમગ્ર બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Next Story