ભરૂચ : અયોધ્યાનગર ખાતે સ્થાનિકોને કરાયું "માસ્ક" વિતરણ, કોરોના વાયરસને પગલે હાથ ધરાયો નવતર અભિગમ
ભરૂચ શહેરના અયોધ્યાનગર ખાતે સંતોષી માતા યુવક મંડળ દ્વારા સ્થાનિક રહીશો તેમજ આસપાસની સોસાયટી વિસ્તારમાં રહેતા લોકોને કોરોના વાયરસની અસર ન થાય તે માટે ઘરે ઘરે જઈ વિનામુલ્યે માસ્કનું વિતરણ કર્યું હતું.
કોરોના વાયરસ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે, તેમજ વૈશ્વિક્સ્તરે પણ કોરોના વાયરસને મહામારી ઘોષિત કરવામાં આવ્યો છે, ત્યારે આ જીવલેણ વાયરસથી સુરક્ષિત રહેવા જો કોઈ સૌથી વધુ મહત્વની બાબત હોય તો તે છે લોકજાગૃતિ, અને લોકોમાં આવા જ પ્રકારની લોકજાગૃતિ કેળવાય તે હેતુથી ભરૂચ શહેરના અયોધ્યાનગર ખાતે સંતોષી માતા યુવક મંડળ દ્વારા અયોધ્યાનગર તથા આસપાસની સોસાયટી વિસ્તારમાં રહેતા લોકોને કોરોના વાયરસની અસર ન થાય તે માટે વિનામુલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતોષી માતા યુવક મંડળના પ્રમુખ પરેશ લાડ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.