Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નેત્રંગમાં સ્વામી વિવેકાનંદજીની ૧૫૭મી જન્મજયંતિની ઉજવણી

ભરૂચ : નેત્રંગમાં સ્વામી વિવેકાનંદજીની ૧૫૭મી જન્મજયંતિની ઉજવણી
X

સ્વામી વિવેકાનંદજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે નેત્રંગમાં ભારત માતાની મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બાબા સત્યનારાયણ મોર્યાએ તેમના પ્રવચન થકી દેશની આઝાદીમાં ખરેખર કોણે ભોગ અને જીવન સમર્પિત કર્યા છે તેની માહિતી આપી હતી. નેત્રંગના લાલ મંટોડી વિસ્તારમાં આવેલા આનંદા પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દક્ષિણ ગુજરાત સ્વામી વિવેકાનંદ યુવા સેવા સમિતિના ભગુ ચૌધરી ,અતુલ પટેલ,પ્રકાશ ગામીત તથા તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ભાવનગરથી પધારેલ રામ કથાકાર ભગતબાપુએ પણ દેશભકિતનો અર્થ સમજાવી લોકોમાં નવો જોમ અને જુસ્સો ભર્યો હતો. ભારત માતાની આરતી સહિતના કાર્યક્રમોનો નેત્રંગ તથા આસપાસના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

Next Story