Connect Gujarat
ગુજરાત

ભરૂચ સિવિલ હોસ્પીટલમાં કેસ કઢાવવા માટે એક જ બારી ચાલુ રહેતા લોકોને હાલાકી

ભરૂચ સિવિલ હોસ્પીટલમાં કેસ કઢાવવા માટે એક જ બારી ચાલુ રહેતા લોકોને હાલાકી
X

ભરૂચ સિવિલ હોસ્પીટલ માં સારવાર માટે કેસ કઢાવવા માટેની એક જ બારી ઉપર કેસ કાઢવાનું ચાલુ રહેતા દર્દીઓ અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે સિવિલ હોસ્પીટલ સત્તાધીશો કેસ કઢાવવા વધુ કેસ બારી ચાલુ કરે તે જરૂરી છે. રોજની ત્રણસો થી વધુ લોકોની લાંબી કતાર જામતા દ્રશ્યો જોવા મળે છે.

ભરૂચ જીલ્લા ની એક માત્ર જનરલ હોસ્પીટલ એટલે સિવિલ હોસ્પીટલ અને આ હોસ્પીટલ માં ભરૂચ જીલ્લા ના નવ તાલુકા ના લોકો વિવિધ રોગો ની સારવાર અર્થે આવતા હોય છે.પરંતુ ભરૂચ સિવિલ હોસ્પીટલ ના ખાળે ગયેલા વહીવટના કારણે ભરૂચ સિવિલ હોસ્પીટલ માં છ જેટલી કેસ બારીઓ છે પરંતુ કોમ્પ્યુટર ઓપરેટરો ના અભાવે માત્ર એક જ કેસ બારી ચાલુ રાખવામાં આવતા જીલ્લાભર માંથી માંદગી માં સપડાયેલા દર્દીઓ પોતાની સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં આવતા હોય છે. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પીટલ ની કેસ બારી થી લઈ સિવિલ હોસ્પીટલના મુખ્ય ગેટ સુધીની લોકોની કતાર કેસ કઢાવવા માટે જામી રહી છે.

ત્યારે સિવિલ હોસ્પીટલ ની એક જ કેસ બારી કેમ ચાલે છે તે બાબતે મીડિયાએ સિવિલ હોસ્પીટલના સિવિલ સર્જન જે.ડી.પરમાર ની મુલાકાત લેતા તેઓએ જણાવ્યું હતું કે, ભરૂચ જીલ્લાના લોકો સિનિયર સીટીઝન અંગેના મેડિકલ સર્ટિફિકેટ મેળવવા માટે ઉમટી રહ્યા છે અને ભરૂચ જીલ્લાના નવ તાલુકાના લોકોનું સિવિલ હોસ્પીટલ ઉપર ભારે ધસારો રહેતો હોવાથી લોકોની કતાર જોવા મળી રહી છે. જોકે સિનિયર સીટીઝનનો દાખલો જે તે તાલુકાઓ માં રહેલા સીએચસી તથા પીએચસી સેન્ટરો ઉપર થી મેળવવા નો હોય છે. પરંતુ આ સેન્ટરો ઉપર થી તાલુકા ઓ માં સિનિયર સીટીઝનનો દાખલો ન અપાતો હોવાના કારણે ભરૂચ જીલ્લા ના તમામ સિનિયર સીટીઝનો પોતાનો દાખલો મેળવવા માટે સિવિલ હોસ્પીટલ માં જ ઉમટતા હોવાના કારણે પણ લોકોની કતાર જોવા મળી રહી છે.

જો કે ભરૂચ જીલ્લા ના તાલુકા માં સીએચસી તથા પીએચસી સેન્ટરો ઉપર થી જ સિનિયર સીટીઝન ના દાખલ જે તે લોકો ને મળી શકે તે માટે આરોગ્ય અધિકારીને સિવિલ સર્જન લેખિત પત્ર લખી સિનિયર સીટીઝનો ને પોતાના વિસ્તાર માંથી દાખલ મળી જાય તે માટે રજૂઆત કરીશું.

વધુ માં તેઓ એ જણાવ્યું હતું કે ભરૂચ માં હાલ ત્રણ ઋતુ નો લોકો અનુભવ કરી રહ્યા છે જેના કારણે લોકો વિવિધ રોગો માં સપડાય રહ્યા છે.બફારા તથા વરસાદ ના કારણે ઠંડી ના લીધે લોકો ને શરદી,ખાંસી અને તાવ જેવા રોગો માં સપડાય જતા રોજ ના લોકો મોટી સંખ્યા માં પોતાની સારવાર અર્થે આવતા હોય અને કેસ કઢાવવા માટે પણ કતાર માં ઉભા રહેવા નો વાળો આવે છે.જે આવનાર સમય માં લોકો ને અગવડતા ન પડે તે માટે વધુ કેસ બારીઓ ચાલુ કરવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે તેમ ભરૂચ સિવિલ હોસ્પીટલ ના સર્જન જે.ડી.પરમારે જણાવ્યું હતું.

Next Story