Connect Gujarat
Featured

ભરૂચ : સિવિલ હોસ્પીટલના તબીબોને કોરોના રસી અપાઈ, તબીબોએ કહ્યું વેક્સિન સુરક્ષિત અને હિતાવહ

ભરૂચ : સિવિલ હોસ્પીટલના તબીબોને કોરોના રસી અપાઈ, તબીબોએ કહ્યું વેક્સિન સુરક્ષિત અને હિતાવહ
X

હાલ દેશભરમાં કોરોના મહામારીની વચ્ચે વેક્સિનની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. જોકે ગુજરાતમાં અલગ અલગ જિલ્લા અને તાલુકા મથકે પણ આરોગ્ય તંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે,ત્યારે ભરૂચનીસિવિલહોસ્પીટલમાંકાર્યરતતબીબોતેમજ મેડિકલ સ્ટાફને કોરોનાની રસી આપવામાં આવી હતી. તબીબોએ વેક્સિન લઈનેસકારાત્મક પ્રતિક્રિયાઓઆપતા જણાવ્યુ હતું કે, કોરોનાવેક્સિન સુરક્ષિત અનેહિતાવહછે. અને બધા વ્યક્તિઓએ રસી મુકાવવી જોઈએ.વેક્સિનમુકાયા બાદ કોઈટેની આડઅસર જોવા મળતી નથી. સાથેજ લોકો પણ કોરોના વેક્સિનમુકાવેતેવી અપીલ પણ તબીબો દ્વારા કરવામાં આવી હતી.

Next Story