Connect Gujarat
ગુજરાત

દયાદરા ગામમાં ભ્રસ્ટાચારે માઝા મૂકી છે,14માં નાણાંપંચ ની ગ્રાન્ટ ની અધધ...ઉચાપત

દયાદરા ગામમાં ભ્રસ્ટાચારે માઝા મૂકી છે,14માં નાણાંપંચ ની ગ્રાન્ટ ની અધધ...ઉચાપત
X

ક્યારેય ન સાંભળ્યુ હોય એવા ભ્રસ્ટચાર ની વાત ભરુચ ના દયાદરા ગામે થી સામે આવી છે,આ ગામ માં ભ્રસ્ટચાર નું ભૂત એવું ધૂણ્યું છે કે આખું ગામ ચકડોળે ચડી ગયું છે,૧૪ માં નાણાંપંચ માં આવેલી ગ્રાન્ટ ને દયાદારા ના સરપંચ દ્વારા ઉપાડી તો લેવામાં આવી પણ ગામના વિકાસ ના કામો નથી કરવામાં આવ્યા.

કોઈપણ જાતના CC પ્રમાણપત્ર વગર અહીના સરપંચ દ્વારા પંચાયત ના ખાતા માથી ગેરકાયદેસર પૈસા ની ઉચાપત કરવામાં આવી છે અને કાગળ ઉપર કામને પૂર્ણ કરેલું બતાવી દેવામાં આવ્યું છે,જ્યારે ગામે આ વાત ને જાણી ત્યારે આખું ગામ સ્તબ્ધ રહી ગયું.

Next Story