Connect Gujarat
Featured

ભરૂચ: ધૈર્યરાજસિંહના ઈલાજ માટે ભરૂચમાં કરાઇ રહ્યું છે ફંડ એકત્રિત

ભરૂચ: ધૈર્યરાજસિંહના ઈલાજ માટે ભરૂચમાં કરાઇ રહ્યું છે ફંડ એકત્રિત
X

SMA 1 નામની ગંભીર બીમારીથી પીડાતા ધૈર્યરાજસિંહના ઈલાજ માટે જુના ભરૂચ યુવા સંઘઠન દ્વારા ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.

મહિસાગર જિલ્લાના કાનેસર ગામના રાજદીપસિંહ રાઠોડના દીકરા ધૈર્યરાજસિંહ રાઠોડ માત્ર ત્રણ મહિનાનો છે ને તે એક SMA-1 નામની ગંભીર બિમારીનો શિકાર બન્યો છે. જેના ઈલાજ માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે. ધૈર્યરાજસિંહ એક મધ્યમવર્ગી કુટુંબમાંથી છે જેથી ઈલાજ માટે રાજયભર માંથી નામી અને અનામી દાતાઓ આર્થીક મદદ કરી રહ્યા છે. ત્યારે ભરૂચના જુના ભરૂચ યુવા સંઘઠન દ્વારા ધૈર્યરાજને સહાય માટે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસ સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ફંડ એકત્રિત કરી ત્રણ મહીનાના માસૂમ બાળકના ઈલાજ માટે આપવામાં આવશે.

Next Story