Connect Gujarat
Featured

ભરૂચ: જંબુસર સ્વરાજ ભવન ખાતે પ્રજસત્તાકદિન નિમિત્તે સામાજિક આગેવાનો દ્વારા ગાંધીજીને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી

ભરૂચ: જંબુસર સ્વરાજ ભવન ખાતે પ્રજસત્તાકદિન નિમિત્તે સામાજિક આગેવાનો દ્વારા ગાંધીજીને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી
X

72માં પ્રજસત્તાકદિનની ઉજવણીના ભાગરૂપે જંબુસરમાં આવેલા સ્વરાજ ભવન ખાતે જંબુસર નગરના સામાજિક આગેવાનો દ્વારા ગાંધીજીને સ્મરણાંજલિ અર્પણ કરતાકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અગ્રણીઓ દ્વારા જંબુસરના વિકાસ માટે પ્રયત્નો કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી આ કાર્યક્રમમાં જંબુસરના સામાજિક અગ્રણી નિખિલ જાની, રણજીતસિંહ રાજ, હિતેન્દ્રસિંહ ઠાકોર, વિપુલ પટેલ, બિપિન પટેલ, મહેશ બારોટ સહિત જાગૃત નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ગાંધીજીને યાદ કરી તેઓના સ્વપ્નનું ભારત બનાવવા બદલ ઉપસ્થિત દરેક વ્યક્તિએ પ્રતિજ્ઞા લીધી હતી. ઉપરાંત જંબુસરની પ્રજાના અધિકારો અને વિકાસ માટે સાથ આપવા, ભ્રષ્ટાચારને દૂર કરવા તેમજ પ્રજાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે ગાંધીચિધ્યા માર્ગે થતાં આંદોલનમાં યોગદાન આપવાની ઉપસ્થિત તમામ લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી.

Next Story