Connect Gujarat
ગુજરાત

ભરૂચ : રાણીપુરામાં કપિરાજનો આતંક, 2 લોકોને પહોચાડી ગંભીર ઇજા

ભરૂચ : રાણીપુરામાં કપિરાજનો આતંક, 2 લોકોને પહોચાડી ગંભીર ઇજા
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિને ધક્કો મારતા ફ્રેક્ચર જ્યારે અન્ય એક યુવાનને બચકુ ભરતા ગંભીર ઇજા પહોચી છે.

ઝઘડીયા તાલુકાના

રાણીપુરા ગામે છેલ્લા એક અઠવાડિયામાં

કપિરાજે બે ઇસમોને નિશાન બનાવી ઇજાગ્રસ્ત કર્યા છે. જેમાં વસંત પટેલ નામના વ્યક્તિ તેમના ઘર બહાર બેસી પેપર વાંચતા હતા, તે દરમ્યાન બે વાનર ઝઘડતા ઝઘડતા આવતા તેમાના એક કપિરાજે તેમને ધક્કો મારી ફેંકી દેતાં તેમને ડાબા પગની જાંધમાં ત્રણ ફ્રેક્ચર થયા

છે. જ્યારે આજરોજ ફરી એક વાર વાનરોમાં ઝઘડો થયો હતો જેમાં ક્રોધે ભરાયેલા કપિરાજે વિરલ નામના યુવકને બચકું ભરી લોહી લુહાણ કરતાં તેને 8 ટાંકા લેવા પડ્યા હતા. રાણીપુરા ગામમાં

કપિરાજે એક સાથે બે વ્યકિતઓને નિશાન બનાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે, ત્યારે વન

વિભાગને જાણ કરી કપિરાજને વહેલી તકે પકડવામાં આવે તેવી

ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Next Story