Connect Gujarat
ગુજરાત

ભરૂચ : જુઓ, લોકડાઉનના ચોથા તબ્બકા બાદ સિનેમા ગૃહો પણ ફરી ધમધમે તે માટે સંચાલકોએ શું કહ્યું..!

ભરૂચ : જુઓ, લોકડાઉનના ચોથા તબ્બકા બાદ સિનેમા ગૃહો પણ ફરી ધમધમે તે માટે સંચાલકોએ શું કહ્યું..!
X

તા. 31મી મેની મધ્યરાત્રિએ લોકડાઉનનો ચોથો તબક્કો સમાપ્ત થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના સિનેમા ગૃહો પણ રાબેતા મુજબ ફરી શરૂ થાય તે માટે મલ્ટિપ્લેક્સના સંચાલકો આશા સેવી રહ્યા છે.

લોકડાઉનના ચોથા તબ્બકામાં સરકાર દ્વારા લોકોને વધુ રાહત આપીને તેમના જીવન અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો તા. 31મી મેની મધ્યરાત્રિએ લોકડાઉનનો ચોથો તબક્કો પણ સમાપ્ત થઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના સિનેમા ગૃહોને છૂટ આપી લોકોના મનોરંજન માટે ફરી શરૂ કરવામાં આવે તે માટે અંકલેશ્વર શહેર સ્થિત મલ્ટિપ્લેક્સના સંચાલકો પોતાના મનમાં મોટી આશા સેવી રહ્યા છે.

લોકડાઉનના કારણે છેલ્લા 2 મહિનાથી બંધ પડેલા સિનેમા ગૃહોના સંચાલકોને લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જેમાં સિનેમા ગૃહમાં કામ કરતાં કર્મચારીઓને પગાર ચૂકવવો તેમજ સિનેમા ગૃહનું લાઇટ બિલ સહિત તેના મેંટેનન્સ અંગે મલ્ટિપ્લેક્સના સંચાલકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે હવે લોકડાઉનના ચોથા તબ્બકા બાદ સરકાર દ્વારા સિનેમા ગૃહોને ફરી ધમધમતા કરવા માટે લીલી ઝંડી મળશે કે કેમ, તે હવે જોવું રહ્યું..!

Next Story