Connect Gujarat
ગુજરાત

ભરૂચ : માત્રોજ ગામ નજીક છકડા-બાઇક વચ્ચે અકસ્માતમાં 1 મહિલાનું મોત, 6 લોકોને પહોંચી ઇજા

ભરૂચ : માત્રોજ ગામ નજીક છકડા-બાઇક વચ્ચે અકસ્માતમાં 1 મહિલાનું મોત, 6 લોકોને પહોંચી ઇજા
X

ભરૂચ જિલ્લાના પાલેજ-નારેશ્વર માર્ગ પર આવેલા માત્રોજ ગામ નજીક છકડા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું.


મળતી માહિતી અનુસાર, પાલેજ-નારેશ્વર માર્ગ પર

માત્રોજ ગામ નજીક છકડા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ઓઝ ગામની રહેવાસી કંકુબેન વસાવાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સને

કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી રારોદ ગામના રહેવાસી મનુ વસાવા, મીના વસાવા, હરેશ વસાવા, સાયર ગામના

રહેવાસી શબ્બીર ગરાસીયા, સગદોળ ગામના રહેવાસી હરેશ વસાવા, મોટી કોરલ ગામના મણીશંકર માછીને સારવાર અર્થે પાલેજ સામુહિક

આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા. હાલ પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ

તપાસ હાથ ધરી છે.

Next Story