Connect Gujarat
Featured

ભરૂચ : ચીનને પાઠ ભણાવવા માટે વિવિધ સંસ્થાઓએ આપ્યું આવેદનપત્ર

ભરૂચ : ચીનને પાઠ ભણાવવા માટે વિવિધ સંસ્થાઓએ આપ્યું આવેદનપત્ર
X

ભારતીય સૈનિકો પર હુમલો કરનારા ચીનને પાઠ ભણાવવાની માંગ સાથે જય ભવાની સેવા સંઘ અને કરણી સેનાના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

ચીનની નાપાક હરકત સામે દેશભરમાં વિરોધ વધી રહયો છે. દેશનો દરેક નાગરિક હવે ચીન પ્રત્યે રોષની નજરથી જોઇ રહયો છે. ભરૂચમાં કાર્યરત જય ભવાની સેવા સંઘ અને કરણી સેનાના આગેવાનોએ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું છે. ભારતીય સૈનિકો પર હુમલો કરનારા ચીનને કડક ભાષામાં જવાબ આપવામાં આવે તેવી માંગ કરાય છે. આ ઉપરાંત લોકોને ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવા અપીલ કરવામાં આવી છે.

Next Story