ભરૂચ : ખાણ ખનીજ વિભાગે બિનઅધિકૃત રીતે માટીનું વહન કરતી 2 ટ્રકોને ઝડપી અંદાજીત 3 લાખથી વધુનો દંડ ફટકાર્યો
BY Connect Gujarat28 May 2020 12:38 PM GMT
X
Connect Gujarat28 May 2020 12:38 PM GMT
ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા અંકલેશ્વરના અમરતપુરા ગામનીની સીમમાં બિનઅધિકૃત રીતે માટીનું વહન કરતી 2 ટ્રકોને ઝડપી પાડી અંદાજિત 3,50,000નો દંડ ફટકારી માટી ભરેલ 2 ટ્રક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામનીની સીમમાં બિનઅધિકૃત માટીનું વહન થઇ રહ્યું હોવાની થયેલ ફરિયાદના આધારે ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવતા બિનઅધિકૃત માટીનું વાહન કરતી 2 ટ્રકોને ઝડપી પાડી હતી. ખાણ અને ખનીજ વિભાગની ટીમ દ્વારા આશરે 3 લાખ 50 હજારનો દંડ ફટકારી 2 ટ્રક જપ્ત કરી ખાણ અને ખનીજ વિભાગ દ્વારા આ અંગે શહેર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.
Next Story