ભરૂચ : નર્મદા બંગ્લોઝમાં રહેતા ભાડુઆતનો આપઘાત, કારણ હજી અકબંધ
BY Connect Gujarat16 Feb 2020 11:44 AM GMT
X
Connect Gujarat16 Feb 2020 11:44 AM GMT
ભરૂચના
મકતમપુર બોરભાઠા બેટ વિસ્તારમાં આવેલાં નર્મદા બંગ્લોઝમાં રહેતા ભાડુઆતે અગમ્ય
કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
ભરૂચના
મકતમપુર બોરભાઠા બેટ વિસ્તારમાં આવેલી નર્મદા બંગ્લોઝના મકાન નંબર એ-૧૬૯ માં ઉમેશ
શર્મા તેમના પરિવાર સાથે ભાડુઆત તરીકે રહેતાં હતાં. ઉમેશ શર્મા રૂમમાં ગયા બાદ
લાંબા સમય સુધી બહાર નહિ આવતાં તેમના પત્નીએ પાછળની બારીમાંથી જોતાં તેઓ ગળેફાંસો
ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. પત્નીએ બુમરાણ મચાવતાં પાડોશીઓ દોડી આવ્યાં હતાં
અને પોલીસને જાણ કરી હતી. સી ડીવીઝન પોલીસે દોડી આવી રૂમનો દરવાજો તોડી મૃતદેહને
બહાર કાઢયો હતો. મૃતકે પંખા સાથે ફંદો બનાવી આપઘાત કરી લીધો હતો જો કે આપઘાત કરવા
પાછળનું કારણ હજી સુધી બહાર આવી શકયું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ
તપાસ આદરી છે.
Next Story