Connect Gujarat
Featured

ભરૂચ : નેત્રંગ ખાતે નવનિર્મિત પોલીસ મથક-આવાસોનું ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે કરાયું "ઇ-લોકાર્પણ"

ભરૂચ : નેત્રંગ ખાતે નવનિર્મિત પોલીસ મથક-આવાસોનું ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે કરાયું ઇ-લોકાર્પણ
X

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે નવનિર્મિત પોલીસ મથક, પી.એસ.આઇ. ક્વાટર્સ તેમજ પોલીસ કર્મચારી ક્વાટર્સનું ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે રૂપિયા 2 કરોડ 84 લાખના ખર્ચે નિર્માણ પામેલ પોલીસ મથક, પી.એસ.આઇ. ક્વાટર્સ તેમજ પોલીસ કર્મચારી ક્વાટર્સનું રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા હસ્તે ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ભરૂચના પોલીસ હેડ ક્વાટર્સ ખાતે પોલીસ કર્મચારીઓ માટે 32 રહેણાંક ક્વાટર્સ નિર્માણ થયેલ છે. આ તમામ સંકુલોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

નેત્રંગ ખાતે યોજાયેલ ઇ-લોકાર્પણના કાર્યક્રમ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ડીવાઇએસપી ચિરાગ દેસાઇ સહીત પીઆઇ તથા પીએસઆઈ તેમજ નેત્રંગ તાલુકા અને ભરૂચ જીલ્લાના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story