ભરૂચ : આધુનિક ભારતના શિલ્પી સ્વ. રાજીવ ગાંધીનો આજે 76મો જન્મદિવસ, કોંગ્રેસ કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી
ભારત દેશમાં કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર સ્વ. રાજીવ ગાંધીના આજે 76માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ભારત દેશના સૌથી યુવા પૂર્વ વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય અને આધુનિક ભારતના શિલ્પી સ્વ. રાજીવ ગાંધીનો આજે 76મો જન્મદિવસ છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા, સુરત જિલ્લા કોંગ્રેસ પ્રભારી રાજેન્દ્રસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફડવાળા, શહેર પ્રમુખ તેજપ્રીત સોકી તથા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર વિશ્વમાં ભારત દેશને એક અલગ ઓળખ અપાવવામાં સિંહફાળો આપનાર સ્વ. રાજીવ ગાંધીએ બલિદાન આપ્યું છે. જેમાં સંદેશા વ્યવ્હાર ક્રાંતિ, કોમ્પ્યુટર ક્રાંતિ, શિક્ષણનો પ્રસાર, 18 વર્ષના યુવાનોને મતાધિકાર અને પંચાયતી રાજ જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. સ્વ. રાજીવ ગાંધીના 76માં જન્મદિવસ અવસરે તેઓને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.