Connect Gujarat
Featured

ભરૂચ : મકાન માલિક શિવરાત્રીએ શિવજીના દર્શન માટે ગયાં, બંધ ઘરમાં તસ્કરોનો હાથફેરો

ભરૂચ : મકાન માલિક શિવરાત્રીએ શિવજીના દર્શન માટે ગયાં, બંધ ઘરમાં તસ્કરોનો હાથફેરો
X

ભરૂચ શહેરમાં શિવરાત્રીના દિવસે બપોરના સમયે મકાન બંધ કરી શિવજીના દર્શન માટે ગયેલાં પરિવારના મકાનમાંથી 1.65 લાખ રૂપિયા ઉપરાંતની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયાં હતાં.

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સાંઈ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ મળી 1.65 લાખના ચોરી કરીને ફરાર થયા હતાં. સોસાયટીના મકાન નંબર-એ-૫૦માં રહેતા દિનેશ ગૌતમ કેરીગંજી ખાસોર શુક્રવારના રોજ શિવરાત્રી નિમિતે બપોરના સમયે નીલકંઠ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે ગયા હતાં. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મકાનના પાછળના ભાગે આવેલો દરવાજો તોડી તસ્કરો સોના-ચાંદીના ઘરેણા સહિત રોકડ રૂપિયા 10 હજાર મળી કુલ રૂ.૧ લાખ ૬૫ હજારથી વધુની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. ચોરી અંગે મકાન માલિકે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Next Story