Connect Gujarat
ગુજરાત

ભરૂચ : એસઆરપીના જવાન કોરોનામાંથી થયો સાજો, હોસ્પિટલમાંથી અપાય રજા

ભરૂચ : એસઆરપીના જવાન કોરોનામાંથી થયો સાજો, હોસ્પિટલમાંથી અપાય રજા
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલી કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં SRP જવાન કોરોનામાંથી સાજા થતાં તેમનેે તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપવામાં આવી હતી.

કોરોના વાયરસના કારણે દેશમાં બે મહિના ઉપરાંતથી લોકડાઉન ચાલી રહયું છે. આ લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે પોલીસની ટીમો રસ્તાઓ પર ઉતારી દેવાય હતી. કોરોના વાયરસના કહેર વચ્ચે અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયાં હતાં. વાલીયાના રુપનગર ખાતે આવેલાં કેમ્પમાંથી પણ અમદાવાદ અને અન્ય સ્થળોએ ફરજ પર ગયેલાં એસઆરપી જવાનો પૈકી ત્રણ જવાનોનો રીપોર્ટ પોઝીટીવ આવતાં તેમને અંકલેશ્વરની સ્પેશિયલ કોવીડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલાં એક એસઆરપી જવાન સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલના તબીબો અને સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે જવાનને વિદાય આપી હતી.

Next Story