ભરૂચ: સ્ટેશન રોડ સ્થીત શેઠના પ્લાઝા કોમ્પ્લેક્ષમાં આગથી નાસભાગ
BY Connect Gujarat11 May 2019 5:19 AM GMT
X
Connect Gujarat11 May 2019 5:19 AM GMT
શોટસર્કિટથી આગ લાગી હોવાનું કારણ
કોઇ જાનહાની ન થતાં હાશકારો
ભરૂચ સ્ટેશન રોડ સ્થીત શેઠના પ્લાઝા કોમ્પલેક્ષમાં એકા એક આગ ભભૂકવાની ઘટનાના પગલે ભાગ દોડ મચી જવા પામી હતી.જો કે આ ઘટનામાં કોઇ જાન હાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.
ભરૂચના શેઠના પ્લાઝા કોમ્પલેક્ષમાં એકા એક વિજ મીટરોમાં આગ ભભૂકવાની ઘટનાના પગલે ઘૂમાડાના ગોટો ગોટા નીકળતા એકસમયે ત્યાં હાજર અને આસપાસના લોકોમાં ભાગ દોડ મચી જવા પામી હતી.જો કે ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ટેંન્ડરોએ તત્કાલ પહોંચી આ આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પ્રાથમિક દ્વષ્ટ્રિએ આ આગ શોટસર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. વીજ મીટરોમાં આગ લાગ્યાની જાણ વિજ વિભાગને પણ કરાતા તેમણે તત્કાલ સમારકામ પણ હાથ ધર્યું હતું.
Next Story