Connect Gujarat
ગુજરાત

ભરૂચ : દેશના પુર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીને શ્રધ્ધાજલિ અર્પણ કરાય

ભરૂચ : દેશના પુર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીને શ્રધ્ધાજલિ અર્પણ કરાય
X

દેશના પુર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં.

ભારતમાં કમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા તથા યુવા વયે દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટયાં હતાં. આધુનિક ભારતના શિલ્પી સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વ.રાજીવ ગાંધીને ડીજીટલ ક્રાંતિના પ્રણેતા પણ ગણવામાં આવે છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, શહેર પ્રમુખ વિકી સોખી, નગરપાલિકાના સભ્ય હમેન્દ્ર કોઠીવાળા, વિપક્ષના નેતા સમસાદ અલી સેયદ સહિતના કાર્યકરોએ યુવા વડાપ્રધાન સ્વર્ગ રાજીવ ગાંધીની દેશ પ્રત્યેની નિષ્ઠા સેવા અને કામગીરીને યાદ કરી હતી. રાજીવ ગાંધી અમર રહોના નારા પણ લગાવવામાં આવ્યાં હતાં.

Next Story