Connect Gujarat
Featured

ભરૂચ : અંકલેશ્વરના અર્બન હેલ્થ સેન્ટરને સેનેટાઇઝ કરાયું, કોરોના પોઝિટિવ આવેલ દર્દીએ લીધી હતી સારવાર

ભરૂચ : અંકલેશ્વરના અર્બન હેલ્થ સેન્ટરને સેનેટાઇઝ કરાયું, કોરોના પોઝિટિવ આવેલ દર્દીએ લીધી હતી સારવાર
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં કોરોના પોઝિટિવ આવતા દર્દીએ સૌપ્રથમ સારવાર લીધેલ અર્બન હેલ્થ સેન્ટરને નગરપાલિકા દ્વારા સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી આનુસાર, અમદવાદથી પરત આવેલ અંકલેશ્વરની એક સોસાયટીમાં રહેતા પરિવારના સભ્ય પૈકી એક સભ્યને શરદી તથા ખાંસીની તકલીફ જણાતા દર્દીના માતાપિતા દ્વારા તેને ગોયા બજાર નજીક આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને વધુ સારવાર અર્થે અંકલેશ્વરની કોવિડ-19 હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અર્બન હેલ્થ સેન્ટરની આસપાસમાં દવાના છંટકાવ સહિત સેનેટાઇઝરનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.

Next Story