Connect Gujarat
Featured

ભરૂચ : યુપીના વસીમ રિઝવીએ કુરાન વિશે કરી ટીપ્પણી, મુસ્લિમ સમાજમાં આક્રોશ

ભરૂચ : યુપીના વસીમ રિઝવીએ કુરાન વિશે કરી ટીપ્પણી, મુસ્લિમ સમાજમાં આક્રોશ
X

ઉત્તપ્રદેશના વસીમ રિઝવીએ કુરાનની 26 આયાતો સામે આપત્તિ નોંધાવતાં મુસ્લિમ સમાજમાં જ તેમની સામે વિરોધ વંટોળ ઉઠયો છે. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર વસીમ રિઝવીના ફોટાનું દહન કરવામાં આવ્યું હતું.

ભરૂચના બાયપાસ વિસ્તારમાં વસીમ રિઝવીના ફોટાનું દહન કરવામાં આવ્યું હતું. વસીમ રિઝવીએ તાજેતરમાં મુસ્લિમોના પવિત્ર ગ્રંથ કુરાન શરીફમાં 26 જેટલી આયતો સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જેના લીધે સમગ્ર વિશ્વના મુસ્લિમોની લાગણી દુભાઈ હતી. જેના સ્વરૂપે આજે ભરૂચના બાયપાસ પર વસીમ રિઝવી વિરુદ્ધ સુત્રોચાર કરી પૂતળા દહન કરી ફાંસીની માંગ કરવામાં આવી હતી.

વસીમ રિઝવી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વસીમ રિઝવીના વિવાદિત નિવેદનના પગલે સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજમાં અત્યંત રોષની લાગણી ફેલાઈ રહી છે. ભરૂચ ઉપરાંત રાજયના અન્ય શહેરોમાં પણ વસીમ રિઝવી વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન થઇ રહયાં છે.

Next Story