Connect Gujarat
Featured

ભરૂચ : ગુર્જર સુથાર પ્રગતિ મંડળ દ્વારા વિશ્વકર્મા જન્મજયંતિની કરાઇ ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ભરૂચ : ગુર્જર સુથાર પ્રગતિ મંડળ દ્વારા વિશ્વકર્મા જન્મજયંતિની કરાઇ ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
X

વાસ્તુદેવ તથા માતા અગિરસીના પુત્ર એવા ભગવાન વિશ્વકર્માની આજરોજ જન્મજયંતિ નિમિત્તે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, ત્યારે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં ગુર્જર સુથાર પ્રગતિ મંડળ દ્વારા વિશ્વકર્મા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

કલા અને કૌશલ્યને ઉજાગર કરાવતા ભગવાન વિશ્વકર્માને સર્વ શ્રેષ્ઠ સર્જન કરનારા દેવ પણ માનવમાં આવે છે, ત્યારે આજરોજ ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિના પવિત્ર દિવસે કર્મનિષ્ઠ કારીગરો દ્વારા ભગવાન વિશ્વકર્માનું પૂજન અર્ચન તથા ઓજારોની શસ્ત્ર પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત શીતળા માતાના મંદિર નજીક આવેલ વાડીમાં ભરૂચ-અંકલેશ્વર શ્રી ગુર્જર સુથાર પ્રગતિ મંડળ દ્વારા વિશ્વકર્મા પ્રાગટય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિશ્વકર્માજીનું પૂજન-અર્ચન, આરતી સહિત સત્યનારાયણની કથા તેમજ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે જ મોટી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનોના સભ્યો દ્વારા મિટિંગ પણ યોજાઈ હતી.

Next Story