અંકલેશ્વર : સંજાલી નજીકથી પસાર થતી કેનાલમાં યુવાન ડૂબી જતાં લાપત્તા, ફાયર ફાયટરો સહિત પોલીસ કાફલો દોડી આવ્યો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ નજીકથી પસાર થતી કેનાલમાં એક યુવાન ડૂબી જતાં લાપત્તા બન્યો હતો.
BY Connect Gujarat11 May 2022 11:01 AM GMT
X
Connect Gujarat11 May 2022 11:01 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ નજીકથી પસાર થતી કેનાલમાં એક યુવાન ડૂબી જતાં લાપત્તા બન્યો હતો. બનાવના પગલે ફાયર ફાયટરો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરની તાપી હોટલ સામે આવેલ સુપ્રીમ કોમ્પ્લેક્ષમાં મામાના ઘરે રહેતો 23 વર્ષીય અનસ હલીમખાન સિદ્દીકી સંજાલી ગામ નજીકથી પસાર થતી કેનાલમાં નાહવા ગયો હતો, તે દરમિયાન તેનો પગ લપસી જતા તે કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે, યુવાન કેનાલના પાણીમાં ડૂબી જતા આજુબાજુના સ્થાનિકો દોડી આવ્યા હતા. બનાવની જાણ સ્થાનિકોએ પોલીસ તેમજ ફાયર વિભાગને કરી હતી, ત્યારે ફાયર ફાયટરો સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કેનાલના પાણીમાં લાપત્તા બનેલ યુવાનની શોખધોળ હાથ ધરી હતી.
Next Story