Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ગેરકાયદેસર દબાણો પર પાલિકાનો સપાટો, લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરાયા

અંકલેશ્વર શહેરમાં રેલ્વે સ્ટેશન રોડથી ત્રણ રસ્તા સર્કલ સહિતના વિસ્તારોમાં કરાયેલા ગેરકાયદેસર દબાણોને પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રેલ્વે સ્ટેશન રોડથી ત્રણ રસ્તા સર્કલ સહિતના વિસ્તારોમાં કરાયેલા ગેરકાયદેસર દબાણોને પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારથી ત્રણ રસ્તા સર્કલ સુધીમાં ગેરકાયદેસર દબાણ કરી બેઠેલા દુકાનદારો ઉપર પાલિકાએ સપાટો બોલાવ્યો હતો. અંકલેશ્વર શહેરમાં વધતા જતા ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે, ત્યારે પાલિકા દ્વારા આવા દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે મુખ્ય માર્ગ પર રહેલા તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણોને પાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. રાહદારીઓ માટે માથાના દુ:ખાવા સમાન બનેલ દબાણોમાં લારી-ગલ્લાઓ તથા દુકાન બહાર કાઢેલા મંડપોને હટાવવામાં આવ્યા હતા.

Next Story