અંકલેશ્વર: નવા બોરભાઠા ગામે તસ્કરોએ બંધ મકાનને બનાવ્યું નિશાન,રૂ. 64 હજારથી વધુના માલમત્તાની ચોરી
તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયા 8 હજાર મળી કુલ 64 હજારની મતાની ચોરી થઈ
BY Connect Gujarat Desk24 Jun 2022 7:32 AM GMT
X
Connect Gujarat Desk24 Jun 2022 7:32 AM GMT
ભરૂચ જિલ્લામાં તસ્કરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો હોય તેમ અંકલેશ્વરના તાલુકાના નવા બોરભાઠા ગામના પટેલ ફળિયામાં તસ્કરોએ રાત્રિ દરમિયાન એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામના પટેલ ફળિયામાં રહેતા દેવજી બાબલાભાઈ ગામીત પોતાનું મકાન બંધ કરી વ્યારા પોતાના પિયરમાં પત્ની ને લેવા ગયા હતા.અને આજરોજ ઘરે પરત ફરતા ઘરના દરવાજાનું તાળું અને ઘરમાં મૂકેલી તીજોરી તુટેલી હાલતમાં જોવા મળી હતી અને તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયા 8 હજાર મળી કુલ 64 હજારની મતાની ચોરી થયા હોવાનું માલુમ પડતા ઘર માલિક દેવજીભાઈ ગામીતે શહેર પોલીસ મથકે જાણ કરી ચોરી અંગે ની ફરિયાદ નોંધાવતા શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી ચોરોને પકડવા ની કવાયત હાથ ધરી હતી.
Next Story