Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નાંગલ ગામે નર્મદેશ્વર મહાદેવ મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન, ભાવિક ગ્રામજનો રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નાગલ ગામ સ્થિત નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નાગલ ગામ સ્થિત નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર તાલુકાના નાગલ ગામ સ્થિત નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા ઘણા દિવસોથી પાર્વતી માતાની મુર્તિ ખંડિત થઈ ગઈ હતી. આ ઉપરાંત અન્ય દેવી-દેવતાઓની પ્રતિમાના સ્થાપન માટે આજરોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ગ્રામજનો દ્વારા પૂજા-અર્ચના, કથા અને મહાપ્રસાદીના આયોજન સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. આ પ્રસંગે સમગ્ર હાંસોટ અને અંકલેશ્વરની પ્રજા માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.

Next Story